Infolinks in Text ads

Ads

દહેગામમાં ફાયર સેફ્ટી મુદ્દે ગંભીર પ્રશ્નાર્થ!!


દહેગામમાં જુના બજાર ચોક વિસ્તારમાં આવેલી જૈન સમાજની વાડીની બાજુમાં પુજાપાની દુકાન ધરાવતા રસિકભાઈની દુકાનમાં આજે રાતે આગ લાગી હતી. મોડી સાંજે અગરબતી કર્યા બાદ ચાલુ અગરબત્તી મુકીને જતા રહેતા આગ લાગી હોવાનુ અનુમાન ફાયર વિભાગ દ્વારા લગવવામાં આવી રહ્યુ છે. જોતજોતામાં આગે ભિષણ રુપ લેતા નીચેના ભાગે રહેલો પુજાપાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પુજાપાની દુકાન હોઈ કપુર સહીતની સામગ્રીના કારણે આગે વધુ જોર પકડ્યુ હતુ જેની દહેગામ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ ઓલવવા પ્રયાસ હાથ ધર્યા હતા. જો કે નાની પાઈપ અને પુરતો ફોર્સ ન હોવાના કારણે ફાયર બ્રિગેડ પણ વામણુ પુરવાર થતુ જણાઈ આવતુ હતુ.



 આ લખાઈ રહ્યુ છે ત્યારે પણ ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. દહેગામ હવે દિન પ્રતિદીન વિકસી રહ્યુ છે ત્યારે દહેગામમાં ફાય સેફ્ટીના મુદ્દે વધુ આધુનીક સંરજામની આવશ્યકતા વર્તાઈ રહી છે. સદ્ભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની કે ઈજા પહોંચી નથી પરંતુ જો આવી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો દહેગામના ફાયર ફાઈટર્સ અને સંરજામની હાલત જોતા મોટાપાયે નુકશાન થાય તેવી ભિતી સેવાઈ રહી છે.


હાલમાં લાગેલી આ આગમાં નુકશાન અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી પરંતુ તેના વિશે આગ ઓલવાયા બાદ જ ખબર પડી શકશે.

Comments