
શુક્રવાર બપોરે દહેગામના બજાર અને શાક માર્કેટમાં દોડભાગ અને ભાગમભાગના દ્રશ્યો સર્જાયા હતા. અચાનક સર્જાયેલી આ નાસભાગ પાછળ જવાબદાર દહેગામ નગરપાલિકા દ્વારા કરાયેલી દબાણ હટાવ અભિયાનની શરુઆત હતી. વાત જાણે એમ છે કે દહેગામમાં છેલ્લા કેટલાય સમયથી ટ્રાફીકની સમસ્યા વકરી રહી છે. જ્યાં ને ત્યાં આડેધડ પાર્ક કરાતા વાહનો અને ઠેર ઠેર રસ્તાઓ પર સરકારી જમીનોમાં ઉભા કરાયેલા દબાણોના લીધે અનેક વખત જામની સ્થિતી સર્જાય છે અને તેનાથી સમગ્ર દહેગામવાસીઓ પરેશાન થતા હોય છે. દહેગામને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે દહેગામ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવા માટે પગલા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે દહેગામના રસ્તાઓ પર લારી ગલ્લા લઈને ઉભા રહેતા લારી વાળાઓ પાસેથી તેઓ જે દુકાનની સામે ઉભા રહે તે દુકાનવાળા પણ ભાડા પેટે ૫૦ થી ૧૦૦ રુપિયા રોજના ઉઘરાવતા હોય છે. દહેગામ નગર પાલિકાના આ પગલા અંગે લોકોમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે કેટલાક તેને આવકાર દાયક ગણાવી રહ્યા છે તો કેટલાક કોઈની રોજી રોટી પર લાત મારવા સમાન ગણી રહ્યા છે. અલબત લાંબા સમય પછી દબાણના મામલે જાગેલી નગરપાલિકા કેટલા સમય સુધી જાગૃત રહે છે તે જોવુ પણ રસપ્રદ બનશે.સાથે જ નવા દબાણ ન થાય એ માટે કેટલી સતર્કતા જળવાય છે તેના પર જ આ અભિયાનની સફળતાનો આધાર ગણાશે.
દહેગામ નગરપાલિકાના આ પગલા વિશે જણાવો આપનો મત નીચે કમેન્ટ બોક્સમાં

Comments
Post a Comment